1500ના સ્ટેમ્પમાં લખી લેજો, વાવાઝોડું શક્તિ ગુજરાતનો આ ભાગ કરશે સાફ, અંબાલાલ પટેલે કરી ઘર ઉડાડે એવી આગાહી…

ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે. જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે. આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંટાઓ સાથે ટકરાઈ શકે છે.  

આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. આગામી 24 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.

ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જોખમ રહેશે. Mint ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે. જ્યારે TOI ના રિપોર્ટ મુજબ આંદમાન સાગર ઉપર 16થી 18 મે વચ્ચે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જો કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *