સૂર્ય-શનિના વિશિષ્ટ સંયોગથી ઓગસ્ટ મહિનાની આ તારીખે ગુજરાતમાં ચોમાસું કંઈક મોટી નવા જૂની કરશે, અંબાલાલ પટેલે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદનું જોર ધીમું પડયું છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને શનિના વિશિષ્ટ સંયોગથી ગુજરાતમાં આ તારીખે ચોમાસું કંઈક મોટી નવાજૂની કરશે. તેવા એંધાણ દર્શાવ્યા છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ચારેકોર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ વરસાદનું જોર ધીમું પડયું છે. પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો પસાર થશે તેમ તેમ કંઈક નવી ઘટનાઓ જોવા મળશે.
અંબાલાલ પટેલએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 15 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર એકાએક વધી શકે છે. આશ્લેશા નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રની શરૂઆતમાં ગ્રહોમાં મોટો બદલાવ થઈ શકે છે. જેને કારણે સૂર્ય અને શનિની વિશિષ્ટ સંયોગ પ્રક્રિયાને કારણે ગુજરાતમાં ચોમાસું કંઈક મોટી નવાજૂની કરી શકે છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્ર હાલ શાંત છે. પરંતુ જેમ જેમ મઘા નક્ષત્રની શરૂઆત થશે તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં ગુજરાતમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની જે ઘટ જોવા મળી છે. તે અંતિમ દિવસોમાં ભરપાઈ થઈ શકે છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમમો ત્રાટકવાની શક્યતા પણ અંબાલાલ પટેલે આપી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 થી 20 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. આ વહનને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં ભારે વધારો થઈ શકે છે. જેમાં ખાસ કરીને તાપી નદી, નર્મદા નદી અને સાબરમતી નદીના જળ સ્તરમાં મોટો વધારો થશે. ઉકાઈ ડેમ અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની મોટી સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનાની મધ્યમાં જ બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થશે. જેને કારણે તોફાની ભારે વરસાદનું મોટું વહન ગુજરાત ઉપર આવી રહ્યું છે. આશ્લેષા નક્ષત્રના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટ્રોંગ સક્રિય થશે. જેને કારણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ થશે. જેથી ઓગસ્ટ મહિનાના મધ્યમાં કંઈક મોટી નવાજૂની થશે.
વધુમા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળ અને અરબ સાગર માંથી 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. આ ભારે વહનમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદનું આ ભારે વહન 22 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.