શું મે મહિનામાં ખૂંખાર વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલની નવી નકોર આગાહી…

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરા ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો સુરત, તાપીમાં છાંટા પડી શકે છે.

રાજ્યમાં 15 થી 17 જુનની આજુબાજુ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મેં વચ્ચે ચોમાસુ બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી, તો ઇડર, અમરેલી, જૂનાગઢમાં ગરમી વધુ રહેવાની શક્યતા છે. 30 એપ્રિલથી ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 30 એપ્રિલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 4 થી 6 મેથી ગુજરાતમાં ફરી ગરમી પડવાની શક્યતા છે. 10 થી 14 મે દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રિમોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. તે પછી, 20 મેથી ફરીથી ગરમી વધવાની શક્યતા છે. ત્યારબાદ 24 અને 25 મે સુધી ફરીથી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. જેમાં 24 મેથી 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

7 જૂનથી સાગરમાં પવન બદલાતા ફરી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 8 થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેઠ વદમાં શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની શક્યતા હોય છે. આ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *