નક્કી ગુજરાતનો આ ભાગ થશે સાફ, અંબાલાલ પટેલે તારીખો સાથે કરી મહાવિનાશક વાવાઝોડાની પતરા ફાડે એવી આગાહી, જાણો ક્યારે/ક્યાં અસર થશે?
ગુજરાતમાં હાલ ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ હજુ પણ કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિના અંતમાં હવામાનમાં પલટો જોવા મળશે અને વાવઝોડા સાથે વરસાદની સંભાવના રહેવાની છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,27 થી 30 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 21 ઓક્ટોબરે હલચલ જોવા મળવાની છે અને 24 થી 25 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના રહેલી છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું પણ હોઈ શકે છે. તેની સાથે જ તેઓએ વાવાઝોડાની દિશાને લઈને જણાવ્યું છે કે, તે કઈ તરફ જશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના લીધે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફ જાય તેવી સંભાવના છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના લીધે 26 થી 29 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમાં પણ અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બંગાળની ખાડીમાં 29 ઓક્ટોબરથી બીજું વાવાઝોડું સક્રિય થવાનું છે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળવાની છે.
તેમ છતાં હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 27 ઓક્ટોબર સુધીમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વાતાવરણ વાદળછાયુ રહેવાની સંભાવના છે.