હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન કેટલો વરસાદ? કેટલી સિસ્ટમ? અંબાલાલ પટેલે કરી છાતીના પાટિયા પાડે એવી આગાહી…
ગુજરાતમાં અલીનોની અસરને કારણે છેલ્લા ઘણા દિવસોથી વરસાદે બ્રેક લીધો છે. પરંતુ ફરી એકવાર ચોમાસુ સક્રિય થવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને તે હવે બસ મધ્યમાં પહોંચ્યું છે. ત્યારે હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ નક્ષત્ર બાદ હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન? કેટલો વરસાદ? કેટલી સિસ્ટમ તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા છાતીના પાટીયા પાડી દે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ નિજ શ્રાવણ સુદ 14 બુધવાર તારીખ 13/09/2023 ના રોજ બેસે છે, સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યારે વાહન હાથીનું જોવા મળશે. આયોની પોઝિટિવ થતા આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈ મહિનાની યાદ અપાવે તેવો ઘાતક વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં 11 થી 13 સપ્ટેમ્બરની વચ્ચે એક બીજી ઘાતક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા હવામાન નિષ્ણાત અને મોટા વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. આ સિસ્ટમને કારણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં સરેરાશ 20 થી 25 ઇંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત મહાલ ખરીફ પાકને વરસાદની સખત જરૂરિયાત છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે આ એક ખૂબ જ સારા અને મહત્વના સમાચાર ગણી શકાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ વર્ષે ત્રણ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી સિસ્ટમ 15 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે અરબી સમુદ્રમાં સક્રિય થશે અને ત્યારબાદ 20 થી 22 ની વચ્ચે ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે એકંદરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. આ નક્ષત્ર દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.