આ વર્ષે ચોમાસું કેવું થશે? વર્ષા વિજ્ઞાનના સભ્ય અને હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી…

વર્ષ 2025નું ચોમાસું કેવું થશે ? આ વિષય પર તમામ હવામાન નિષ્ણાતો અને મોટા વેધર એનાલિસ્ટો પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. તાજેતરમાં જ મોટા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી હતી. ત્યારબાદ હવે 35 વર્ષનો હવામાનનો અને વર્ષા વિજ્ઞાનનો અનુભવ ધરાવતા રમણીકભાઈ વામજાએ પણ આ વર્ષનું ચોમાસું કેવું થશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.

પ્રથમ તમને જણાવી દઈએ કે દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રહેવાસી અને વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણિકભાઈ વામજા જેમનો વરતારો સારો અને દર વર્ષે સચોટ હોય છે. ત્યારે આ વર્ષે 2025નું ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ તેમણે મોટી આગાહી વ્યક્ત કરી છે. આ લેખમાં તેમણે કરેલી સંપૂર્ણ આગાહી વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસાનો પવન મોટાભાગના વિસ્તારોમાં ઉત્તરથી પશ્ચિમ દિશા તરફનો રહેશે. રમણીકભાઈ વામજાએ ચોમાસા પૂર્વે 2 માવઠા થવાની મોટી શક્યતાઓ આપી હતી. તે સાચી પડી છે. ત્યાર બાદ હવે ચોમાસુ કેવું રહેશે તેને લઈને પણ મોટી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

રમણીકભાઈ વામજાએ ઉનાળાના પવન પરથી અવલોકન કરીને આ વર્ષે ચોમાસું કેવું રહેશે. તેને લઈને સમગ્ર માહિતી આપી છે. આ અવલોકન દરમિયાન રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં વહેલા શરૂ થઈ જશે. તેમણે કહ્યું છે કે 25 જુનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની ધીમી ધારે શરૂઆત થઈ શકે છે અને આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. તેને લઈને પણ સારા સમાચાર આપ્યા છે.

વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાએ આ વર્ષે ચોમાસુ 16 આની થશે. તેને લઈને પણ સારા સમાચાર આપ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જેને કારણે ગુજરાતમાં ખેડૂતો સહિત આમ જનતાને ભારે નુકસાની થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *