આ વર્ષે રોહિણી નક્ષત્રમાં કેવો પડશે વરસાદ? ક્યારે બેસે? કયું વાહન હશે? ચોમાસા પર તેની શું અસર થશે? અંબાલાલ પટેલે કરી આગાહી…
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા રોહિણી નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે? તેની ચોમાસા પર શું અસર પડશે? અને આ નક્ષત્ર ક્યારે બેસે અને ક્યુ વાહન રહેલું છે. તેને લઈને ભુક્કા બોલાવતી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સેટેલાઈટ અને રડાર પરથી અભ્યાસ કરીને ચોમાસાને લઈને પૂર્વ અનુમાન જાહેર કરતા હોય છે. પરંતુ ગામડાઓમાં કોઠાસૂઝથી હવામાન નિષ્ણાતો આગાહી વ્યક્ત કરતા હોય છે. આ લેખમાં અમે તમને અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશે વિગતવાર જણાવીશું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર ગરમી, ઠંડી, વરસાદ અને માવઠાને લઈને આગાહી વ્યક્ત કરતા હોય છે. અંબાલાલ પટેલ આ આગાહી નક્ષત્ર અને પવનની દિશા તેમજ જુના ગ્રંથોના અભ્યાસ કર્યા બાદ વ્યક્ત કરતા હોય છે. વર્ષોથી ગામડાઓમાં નક્ષત્રો અને પવનની દિશા પરથી ચોમાસાનો વર્તરો કાઢવાની પરંપરાઓ ચાલી આવી છે. ત્યારે હવે થોડા દિવસોમાં રોહિણી નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વાતાવરણમાં મોટા ફેરફારો થઈ શકે છે. જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટા સંકેતો આપ્યા છે.
તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રોહિણી નક્ષત્રમાં કુલ 4 પાયા હોય છે. આ નક્ષત્ર 15 દિવસનું હોય છે. ખાસ કરીને દર વર્ષે રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થતો હોય છે. આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 26 મેના રોજ સાંજે 5 વાગેને 56 મિનિટે થશે. 8 જૂન સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્ર દરમિયાન રોહિણીનું નિવાસસ્થાન સમુદ્ર કિનારે જોવા મળશે અને આ નક્ષત્રનું વાહન દરિયાઈ ઘોડો છે.
રોહિણીનું નિવાસસ્થાન આ વર્ષે દરિયા કિનારે હોવાને કારણે હવામાન અને ઋતુચક્રમાં મોટા બદલાવો આવી શકે છે. જેને લઈને મોટું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લગાવ્યું છે. 25 તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરુ ફૂંકાઈ છે. આ નક્ષત્રના બીજા પાયામાં વરસાદ થાય તો આટલા દિવસ તેમાંથી ઓછા થાય છે. જો રોહિણી નક્ષત્ર ઉતરતા 1 થી 4 જૂનમાં વરસાદ આવે તો ચોમાસુ બરાબર જોવા મળશે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે કે ચોમાસું મોડું બેસવાનું છે કે વાયરુ ફૂંકાશે. જો રોહિણી નક્ષત્રમાં બધા દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તો સારા સંકેત છે. જો નક્ષત્ર ઉતરતા વરસાદ જોવા મળે તો ચોમાસું માધ્યમથી સારું જોવા મળે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે રોહિણી નક્ષત્રના ત્રીજા અને ચોથા પાયામાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થશે. બીજી તરફ મે મહિનાના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 28 મેના રોજ અરબી સમુદ્રમાં મોટા ચક્રવાતો ઉત્પન્ન થવા જઈ રહ્યા છે. કૃતિકા નક્ષત્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. જેને કારણે પવનની ગતિમાં વધારો થશે. રાજ્યમાં 28 મેથી 10 જૂનમાં સારામાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ વર્ષે રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. જેને કારણે ચોમાસુ સારામાં સારું રહેવાના એંધાણ મળી રહ્યા છે.