છેલ્લી કેરી ખાઈ લેજો, ગુજરાતનાં આ ભાગોમાં છાપરા ઉડાડે તેવા પવન સાથે પડશે ભયંકર વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કરી કંપાવી દેતી આગાહી…
અંબાલાલ પટેલની આગાહી:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. છેલ્લાં 2 દિવસમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. 19થી 22 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે.
કાચા મકાનોના છાપરા ઊડી જવા જેવા પવન ફૂંકાશે.
21થી 25 જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી:
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના રિપોર્ટ મુજબ, 11 જૂન 2025ના રોજ જ ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. નોર્મલ રીતે 1લી કે 2જી જૂનના રોજ ચોમાસાની જાહેરાત થાય છે, પરંતુ આ વખતે 29 મેના રોજ જ જાહેરાત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું નિયત સમય કરતા વહેલું આવ્યું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધા છે. સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું નોર્મલ રીતે 15મી જૂને આવતું હોય છે, પરંતુ આ વર્ષે તે 11મી જૂને જ આવી ગયું છે. એટલે કે ચોમાસાએ ચાર દિવસ પહેલા પ્રવેશ કર્યો છે. જોકે, આવું ભૂતકાળમાં પણ બનતું રહ્યું છે કે ચોમાસું તેના નિયત સમય કરતા વહેલું આવે.