વાવણી કરવામાં ઉતાવળ ન કરતા, હજુ રાજ્યના આ ભાગોમાં વરસાદ બાદ વાયરું ફૂંકાશે, અંબાલાલ પટેલે કરી પગ નીચેથી જમીન સરકી જાય તેવી આગાહી…

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીની સરહદે આવી પહોચ્યું છે, પરંતુ આ વરસાદના રાઉન્ડ બાદ અંબાલાલ પટેલે એક પગ નીચેથી જમીન સરકી જાય તેવી આગાહી વ્યક્ત કરી છે તેની આગાહી મુજબ આ વરસાદના રાઉન્ડ બાદ રાજ્યના આ ભાગોમાં વરસાદ ખેંચાઈ શકે છે જેને કારણે વાવણી કરેલો નવજાત પાક નિષ્ફળ જશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે હાલ ગુજરાત ઉપર એક મોટું ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, જેને કારણે 14 જુન સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વાવણી લાયક વરસાદની શક્યતા છે પરંતુ આ વરસાદ બાદ ગુજરાતમાં વાયરૂપ ફૂંકાઈ શકે છે એવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.

આ વરસાદના રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવણી જેવો ભારે વરસાદ થઈ શકે છે, આ વરસાદને કારણે ખેડૂતોએ વાવેલો પાક ઊગી નીકળશે પરંતુ ત્યારબાદ ફરી એકવાર ગરમીનો રાઉન્ડ આવશે જેને કારણે આ નવજાત ઉકેલો પાક સુકાઈ શકે છે અને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાની થશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ રાજકોટ જામનગર નવસારી વલસાડ સુરત અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદના આ રાઉન્ડ બાદ ફરી એકવાર ગરમી અને વાયરુ ફૂંકાઈ શકે છે. 14થી 21 જૂન સુધી કાળજાળ ગરમી પડી શકે છે. અને ત્યારબાદ જૂન મહિનાના અંતિમ દિવસોમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવશે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *