અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું ગુજરાતમાં આ તારીખ સુધી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નહીં…

રાજ્યમાં ચોમાસું તો બેસી ગયુ છે પરંતુ લોકો રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદની રાહ જોઇને બેઠા છે. મોટાભાગના વિસ્તારો હજુ કાળઝાળ ગરમીમાં તપી રહ્યા છે.. ખેડૂતોના મનમાં સવાલ છે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ તારીખ સુધી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી.

ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે. જેથી હજુ વરસાદ ની રાહ જોવી પડશે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે 21 જૂન પછી સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી જેવો ભારે વરસાદ થઈ શકે છે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ રાજકોટ જામનગર નવસારી વલસાડ સુરત અરવલ્લી સહિતના વિસ્તારોમાં 21 તારિખ સુધીમાં વરસાદની કોઈ શક્યતા નથી.

14થી 21 જૂન સુધી કાળજાળ ગરમી પડી શકે છે. અને ત્યારબાદ જૂન મહિનાના અંતિમ દિવસોમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવશે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *