ટ્રેવિસ હેડે કહ્યું- જાડેજા કરતા પણ ઘાતક નીકળ્યો આ ખેલાડી, આજે અમારા માટે બન્યો હારનું કારણ…

ગઈકાલે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝ પણ જીતી લીધી છે. ભારતીય ટીમ ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંને લાઈનમાં ખૂબ જ મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ ટ્રેવિસ હેડે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 9 વિકેટે 174 નો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને જીત મળી છે. ભારતીય ટીમની બોલિંગ લાઈન ઘણી મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડે આ ગુજરાતી ખેલાડીના ખૂબ વખાણ કર્યા છે.

ટ્રેવિસ હેડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ખેલાડી તો રવિન્દ્ર જાડેજા કરતા પણ ઘાતક નીકળ્યો છે. તે આજે અમારા માટે હારનું કારણ સાબિત થયો છે. તેની બોલિંગ સામે રમવામાં ઘણી મુશ્કેલીઓ થઈ હતી. બીજી તરફ તે ધડાધડ વિકેટ પણ લઈ રહ્યો હતો. જેના કારણે ભારતીય ટીમ દબાણ બનાવવામાં સફળ રહી હતી. તો ચાલો જાણીએ આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ટ્રેવિસ હેડે અક્ષર પટેલની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે અક્ષરે આજે આવતાની સાથે જ પોતાની 4 ઓવર દરમિયાન 3 વિકેટ લીધી હતી. તેણે માત્ર 16 રન જ આપ્યા હતા. તેની 3 વિકેટના કારણે અમારી બેટિંગ લાઇન વિખરાયેલી જોવા મળી હતી. હું પણ તેની સામે આઉટ થયો હતો. તે આજે અમારા માટે શરમજનક હારનું કારણ બન્યો છે.

ટ્રેવિસ હેડે વધુમાં જણાવ્યું કે અક્ષર બાદ દીપકે પણ સારી બોલિંગ કરી હતી. બીજી તરફ અન્ય ખેલાડીઓ પણ ઓછા રન આપવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમની બોલિંગ લાઇન મજબૂત હોવાના કારણે આજે અમને સિરીઝમાં પણ હાર મળી છે. આગામી સમયમાં ફરી એક વખત જીત મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *