ભારતીય ટીમને લાગ્યો મોટો આંચકો, પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીતાડનાર આ સિનિયર ખેલાડીએ અચાનક કરી નિવૃત્તિની જાહેરાત…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ હવે 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકોને અને ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીતાડનાર આ સિનિયર ખેલાડીએ અચાનક જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે.

નિવૃત્તિની જાહેરાત કરેલ આ સ્ટાર ખેલાડીને 2007 t20 વર્લ્ડ કપ નો હીરો માનવામાં આવે છે. આ સ્ટાર ખેલાડીએ વિશ્વનો પ્રથમ t20 વર્લ્ડ કપ ભારતને જીતાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ વર્લ્ડ કપ બાદ આ સિનિયર ખેલાડી ક્યારેય ટીમ ઇન્ડિયમાં રમતો જોવા મળ્યો નથી. પરંતુ આ સિનિયર ખેલાડીએ અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોની સાથે સાથે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતને 2007ની સાલમાં પ્રથમ ટી 20 વર્લ્ડ કપ જીતાડનાર આ સિનિયર ખેલાડી હવે ક્યારે ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. આ સિનિયર ખેલાડીએ પોતાના નિવૃત્તિની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને સમગ્ર માહિતી શેર કરી છે. જ્યારે પણ 2007 ટી 20 વર્લ્ડ કપને યાદ કરવામાં આવે છે ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોના મોઢા પર એક જ નામ આવે છે. ચાલો તેના વિશે વિગતવાર વાત કરીએ.

તમને જણાવી દઈએ કે જોગીન્દર શર્માએ ભારતને પ્રથમ ટી 20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં તેણે પાકિસ્તાન સામે છેલ્લી ઓવર ફેંકીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. પરંતુ હાલ જોગીનદર શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત સાંભળીને તેના ચાહકો દંગ રહી ગયા છે.

તમને જણાવી દયા કે 39 વર્ષીય જોગીન્દ્ર શર્માએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ટીમ ઇન્ડિયા માટે કુલ 4 ટી 20, 4 વનડે મેચ વન-ડેમાં જોગીન્દર શર્માએ 4.6 ઇકોનોમીક રેટથી 1 વિકેટ લીધી હતી. વધુમાં ટી 20 ફોર્મેટમાં 9.52ની ઇકોનોમિક રેટથી કુલ 4 વિકેટો ઝડપી હતી. જોગીન્દર શર્માએ કુલ 16 આઈ પી એલ મેચ રમી છે તે હંમેશા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો છે. અને એવું પણ માનવામાં આવે છે કે તે મહેન્દ્રસિંહ ધોનીનો આ ખાસ ખેલાડી પણ હતો.

2007 ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 157 રન બનાવ્યા હતા. 158ના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનની ટીમ મેદાને ઉતરી હતી. ત્યારે છેલ્લા 6 બોલમાં 13 રનની જરૂર હતી. ત્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ મહત્વની ઇનિંગ્સની છેલ્લી ઓવર જોગીન્દર શર્માને આપી હતી. આ ઓવર દરમિયાન તેણે મિસ્બાહ-ઉલ-હકને આઉટ કરીને ભારતને પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *