ટીમ ઈંડિયાનો કેપ્ટન જ બન્યો ગંદી રાજનીતિનો શિકાર, BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ન આપ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. જેની પ્રથમ મેચ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત મળતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી મોટી લીડ બનાવી છે. વિશ્વની તમામ ટીમો હાલ વનડે વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહી છે. જ્યારે ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે અલગ અલગ સિરિઝો રમતી જોવા મળી છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ત્યારબાદ હવે આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે રમવાની છે. પરંતુ હાલ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો અને મોટા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે.
ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે. હાલ રમાઈ રહેલ ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝમાં ઘણા સિનિયર અને સ્ટાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ટી-ટ્વેન્ટી ફોર્મેટનો ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝ માંથી બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં ઘણા યુવા ખેલાડીઓ અને સારું પ્રદર્શન બતાવા વાળા ખેલડીઓ રાજનીતિનો શિકાર બન્યા છે. પરંતુ હાલ ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઇન્ડિયાનો કેપ્ટન જ બંદી રાજનીતિનો શિકાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ગંદીને કારણે હાલ કેપ્ટનને જ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમનો ટી ટ્વેન્ટી ફોર્મેટનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે તે ટેસ્ટ સિરીઝમાં રમવા માટે કાબિલ છે પરંતુ ગંદી રાજનીતિને કારણે તેને બહાર કરવામાં આવ્યો છે. હાલમાં ભારતીય ટીમને આવા સ્ટારની સખત જરૂરત છે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ માં સારું પ્રદર્શન બતાવી શકે છે. ટેસ્ટ ફોર્મેટમાં તેણે સદી પણ ફટકારી છે. અને એક મેચમાં સતત પાંચ વિકેટો પણ ઝડપી ચૂક્યો છે.