રોહિતે ટોસ જીતીને લીધી બેટિંગ, પ્રથમ મેચમાં જ કર્યા આ મોટા બદલાવો, જાણો કોને મળ્યું સ્થાન…
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ઘર આંગણે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ આ મેચ વિશે વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ફરી એકવાર મોટા બદલાવો સાથે મેદાને ઉતરી છે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા મજબૂત પ્લેઇંગ 11 સાથે મેદાને રમતો જોવા મળ્યો છે. વનડે વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિતે ટીમની પ્લેઈંગ-ઈલેવનમાં આ મેચ વિનર ખેલાડીને તક આપી છે.
પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો રોહિત શર્માએ ઉમરાન મલિકને બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઈશાન કિશન અને વોશિંગ્ટન સુંદરનો પણ પ્લેઇંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (સી એન્ડ ડબલ્યુકે), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, હેનરી શિપલી, બ્લેર ટિકનર, લોકી ફર્ગ્યુસન.