રોહિતે ખોલ્યું દિલ, પોતાના નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…

રોહિત શર્માની આગેવાની ભારતીય ક્રિકેટ ટીમ ગઈકાલે અફઘાનિસ્તાન સામે જબરદસ્ત મેચ રમતી જોવા મળી હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 8 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમે પોઇન્ટ ટેબલમાં પણ દબદબો બનાવ્યો હોય તેવું કહી શકાય છે. આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. મેચ બાદ રોહિત શર્મા દ્વારા ઘણા મહત્વના નિવેદન આપવામાં આવ્યા છે.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતી વખતે 8 વિકેટે 272 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને 35 ઓવરમાં જ આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ 84 બોલમાં 131 રન બનાવ્યા હતા. તે મેચ વિનર સાબિત થયો હતો છતાં પણ તેણે મેચ બાદ પોતાને નહીં પરંતુ આ સુપરસ્ટાર ખેલાડીને જીતનો હીરો ગણાવ્યો છે.

મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મારા લીધે નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીને કારણે આજે આપણને જીત મળી છે. તે જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. તેના કારણે બોલિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. તે આગામી મેચોમાં પણ ઘણો મહત્વનો સાબિત થશે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ રોહિત એ જસપ્રિત બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બુમરાહે આજે પોતાની 10 ઓવર દરમિયાન 39 રન જ આપ્યા હતા અને ચાર મહત્વની વિકેટો લીધી હતી. તેની વિકેટો લેવાના કારણે અફઘાનિસ્તાનની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી. બેટિંગની આ પીચ પર બુમરાહે તેને રોકી દીધા હોય તેવું પણ કહી શકાય છે.

રોહિતે વધુમાં જણાવ્યું હતું કે બુમરાહ ઉપરાંત હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ પણ ઘણી સારી બોલિંગ કરી છે. તે બંને ફિલ્ડીંગમાં પણ મહત્વનો ફાળો ભજવ્યો છે. તે બંનેના કારણે ઘણું દબાણ જોવા મળ્યું હતું. આ ત્રણેય ગુજરાતી ખેલાડીઓ ફરી એક વખત મેચ વિનર સાબિત થયા છે. હવે આગળ પણ પાકિસ્તાન સામેની મેચમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળે તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *