રિંકુ-યશસ્વીની થઇ એન્ટ્રી, આવતીકાલે આવી કંઈક રહેશે ભારતીય પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

વર્લ્ડ કપ 2023 પૂર્ણ થયા બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી પાંચ મેચોની મહત્વની ટી-20 સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે સાંજે 7:00 વાગે વિશાખાપટ્ટનમ ખાતે રમાવાની છે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ મેદાન પર આવી પહોંચ્યા છે. આ ઉપરાંત હાલમાં કોને સ્થાન મળશે તે અંગે મહત્વની જાણકારી પણ મળી છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમના તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા નવા ચહેરાઓને પણ આ સિરીઝમાં સ્થાન મળ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર નજર કરીએ અને જાણીએ કે આવતીકાલે કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે અને કોને બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ બંને ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ બંને યુવા ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી સતત સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. હાલમાં જ એશિયન ગેમ્સમાં પણ તેઓએ ધમાલ મચાવી હતી. બીજી તરફ તિલક વર્મા નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તેને કોહલીનું સ્થાન આપવામાં આવશે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત ઈશાન કિશન વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 5 પર બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે. આ ઉપરાંત ઘાતક ફિનિશર તરીકે રિંકુ સિંહને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી તે પણ સતત સારુ પ્રદર્શન કરીને જીત અપાવી રહ્યો છે.

બોલિંગ લાઈનની વાત કરીએ તો અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને સ્પીન ઓલ રાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવશે. બીજી તરફ ફાસ્ટ બોલરો તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને આવેશ ખાનને સામેલ કરવામાં આવશે. સૂર્ય કુમાર અને તમામ ખેલાડીઓ માટે આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થશે. પાંચ મેચોની આ સીરીઝ 3 ડિસેમ્બર સુધી રમાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *