મેથ્યુ વેડે (કેપ્ટન) કહ્યું- અક્ષર પટેલ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ…

ગઈકાલે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝ પણ જીતી લીધી છે. ભારતીય ટીમ ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંને લાઈનમાં ખૂબ જ મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ મેથ્યુ વેડે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 9 વિકેટે 174 નો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને જીત મળી છે. અક્ષર પટેલે પોતાની 4 ઓવર દરમિયાન માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી છતાં પણ મેથ્યુ વેડે અક્ષર પટેલને નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને હારનું કારણ ગણાવ્યું છે.

મેથ્યુ વેડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે અક્ષર પટેલના કારણે નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને કારણે આજે અમને હાર મળી છે. અમે શરૂઆતમાં વિકેટો ગુમાવી પરંતુ હજુ પણ અમે મેચ જીતી શકીએ તેમ હતા પરંતુ આ ખેલાડીના કારણે આજે ગેમ પલટો થયો છે અને તે અમારા માટે કાળ સાબિત થયો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે મેથ્યુ વેડે મેચ પૂર્ણ થયા બાદ દીપક ચહર વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે અમારા સ્ટાર બેટ્સમેન ટીમ ડેવિડ અને મેટ શોર્ટ પીચ પર સેટ થઈ ચૂક્યા હતા. તેઓ મેચ જીતાડી શકે તેમ છતાં પરંતુ દીપક ચહરે આવતાની સાથે જ તે બંનેને એક સાથે આઉટ કર્યા હતા. જેના કારણે કોમ્બિનેશન બગડ્યું હતું. ત્યાંથી ગેમ પલટો થયો હતો અને અમને જીત મેળવવી મુશ્કેલ થઈ હતી.

મેથ્યુ વેડે જણાવ્યું કે દીપક ચહરની સારી બોલિંગના કારણે અમારી ટીમને મુશ્કેલીઓ થઈ હતી. બીજી તરફ ભારતીય ટીમ વિકેટ લેવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં સિરીઝમાંથી પણ હાર મળી છે. હવે આગામી પાંચમી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ટી-20 વર્લ્ડ કપ પહેલા દરેક ટીમો અત્યારથી જ કોમ્બિનેશન બનાવવાના પ્રયત્નો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *