હેડ કોચ રાહુલ દ્રવિડે સાઉથ આફ્રિકા સામેની મેચ માટે ભારતની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, જાણો કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ભારત અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમમાં જબરદસ્ત મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી છે. આ સાથે જ પોઇન્ટ ટેબલમાં ઉપરનું સ્થાન મેળવ્યું છે. હવે આવતીકાલે ઇડન ગાર્ડન ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહા મુકાબલો થવાનો છે. આ બંને વચ્ચેની મેચ ઘણી મહત્વની સાબિત થશે. આ પહેલા હાલમાં બદલાવોને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.

રાહુલ દ્રવિડે તાજેતરમાં જ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં ભારતીય ટીમ સતત વિજય મેળવતી આવી છે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ પહેલા હજુ પણ ટીમ મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવશે. દરેક મેચમાં પીચના આધારે બદલાવો થઈ શકે છે. આગામી મેચ વિશે પણ વાત કરી છે. તો ચાલો આપણે ટીમ પર નજર કરીએ અને જાણીએ કે કોને કોને બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ બેટીંગ લાઈનની વાત કરીએ તો ઓપન તરીકે રોહિત શર્મા અને શુભમન ગીલને સ્થાન આપવામાં આવશે તે નક્કી છે. આ બંનેની જોડી હાલમાં સંપૂર્ણપણે સેટ થઈ ચૂકી છે. હાલમાં જ શ્રીલંકા સામે જબરદસ્ત બેટિંગ કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલી ફરી એક વખત નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તેની પાસે ફરી એક વખત શાનદાર સદીની આશા રહેલી છે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો શ્રેયસ ઐયરને નંબર 4 પર બેટિંગ કરવા માટે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલને નંબર 5 પર મેદાને ઉતારવામાં આવશે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાઉથ આફ્રિકા સામે વાપસી કરવાનોવર્લ્ડ કપમાંથી બહાર થયો છે. જેથી સૂર્યકુમાર યાદવને નંબર 6 પર મેદાને ઉતારવામાં આવશે.

બોલિંગ લાઇનની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને સ્પિન બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. ફાસ્ટ બોલરો તરીકે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવશે. છેલ્લી ત્રણ મેચોમાં આ ત્રણેય દ્વારા ઘણી વિકેટો લીધી છે. સાઉથ આફ્રિકા સામેની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *