દિનેશ કાર્તિકે પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઇંગ 11 પસંદ કરી, આ બે ઘાતક ખેલાડી એક સાથે કરશે ડેબ્યું, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. બંને ટીમના ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તેની આતુરતાનો અંત આવ્યો છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરના VCA સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચમાં મોટા મોટા ક્રિકેટરો ભારતની પ્લેઇંગ 11 પસંદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને ભારતીય ટીમની પ્લેઈંગ 11ની મોટી જાહેરાત કરી છે. ટ્વીટ કરીને નાગપુર ખાતે રમનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે 11 ખેલાડીઓની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 ની પસંદગી કરી છે. તેમણે પસંદ કરેલ ખેલાડીઓના નામ જોઈને તમામ ચાહકો ચોંકી ઉઠ્યા છે. ચાલો દિનેશ કાર્તિકે જાહેર કરેલ ભારતીય ટીમની પ્લેઇંગ 11 પર એક નજર કરીએ.
દિનેશ કાર્તિકે પસંદ કરેલ પ્લેઇંગ 11માં પ્રથમ ઓપનિંગ જોડી વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને KL રાહુલને ભારતીય ટીમની ઓપનિંગની મોટી જવાબદારી સોંપી છે. આ જોડીમાં એ નોંધવું જરૂરી છે કે શુભમન ગીલને મોટા ભાગના નિષ્ણાતો એ રોહિત શર્મા સાથે ઓપનિંગ જોડી તરીકે પસંદ કર્યો છે. પરંતુ દિનેશ કાર્તિક આ વાત સાથે સહમત થયા નથી. અને તેણે રોહિત શર્મા સાથે KL રાહુલને ઓપનિંગ બેટ્સમન તરીકે પસંદ કર્યો છે.
આ ઉપરાંત મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 3 પર ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા ઉતરશે. ત્યારબાદ નંબર 4 પર વિરાટ કોહલી બેટિંગ કરતો નજરે પડશે. આ ઉપરાત દિનેશ કાર્તિકે સૂર્યકુમાર યાદવ અને કે એસ ભરત પર વધારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિનેશ કાર્તિકના મત મુજબ વિકેટકીપર રિષભ પંથની ગેરહાજરી સૂર્યકુમાર યાદવ પોતાની 360 ડિગ્રીએ ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કરી શકે છે.
ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભરતને યોગ્ય ગણ્યો હતો. જેને કારણે આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ અને કે એસ ભરત બંને સ્ટાર ખેલાડીઓનું ડેબ્યું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં ઇશાન કિશનને પ્રથમ મેચ દરમિયાન બહાર બેસવું પડશે. ત્યારબાદ બોલિંગ લાઈનની વાત કરીએ તો ત્રણ સ્પીનર અને બે ઝડપી બોલર નો સમાવેશ કર્યો છે.
સ્પીનર્સમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બોલીંગની સાથે સાથે બેસ્ટ ઓલરાઉન્ડર પણ છે. જેને કારણે કુલદીપ યાદવને પ્રથમ મેચ દરમિયાન બહાર બેસવાનો વારો આવ્યો છે. ત્યારબાદ ઝડપી બોલરોમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની જોડીને વધારે મહત્વ આપ્યું છે.
દિનેશ કાર્તિકે પસંદ કરેલ ભારતીય ટીમની પ્લેઇંગ 11 :-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.