મહત્વની 4 વિકેટ લેવા છતાં અર્શદીપ સિંહને નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીને હાર્દિક પંડ્યાએ આપ્યો જીતનો શ્રેય…
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે આજે ત્રણ મેચોની t20 સિરીઝ પૂર્ણ થઈ છે આ સિરીઝની ત્રીજી ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી પરંતુ વરસાદને કારણે આ મેચ ટાઇ થઈ હતી. આ મેચ ટાઇ થતા ની સાથે જ ટીમ ઇન્ડિયાએ સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી જીત મળી હતી. આ સમગ્ર સીરીઝમાં કેટલા ખેલાડીઓ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. ટી 20 વર્લ્ડ કપ બાદ ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી હતી.
સમગ્ર ટીમે આ સિરીઝમાં સારું પ્રદર્શન દેખાડ્યું હતું જેને કારણે ફાઈનલ ત્રીજી મેચમાં વરસાદ પડવા છતાં સમગ્ર સિરીઝમાં જીત મેળવી હતી આ સિરીઝની ફાઈનલ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ દ્વારા પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ શાનદાર બોલિંગ કરીને 19.4 ઓવરમાં 160 રન આપીને સમગ્ર ટીમને ઓલ આઉટ કરી હતી ત્યારબાદ આ લક્ષ સુધી પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ મેદાને ઉતરી હતી.
પરંતુ ટીમ ઇન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા બાદ વરસાદ વિલન બન્યો હતો વરસાદ પડવાને કારણે આ સમગ્ર મેચ ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ DLS પદ્ધતિ મુજબ આ મેચ માટે મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચને ટાઇ જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર મેચમાં અર્શદિપે ખૂબ જ જોરદાર બોલિંગ કરી હતી. અને ચાર મહત્વની વિકેટ ઝડપી હોવા છતાં હાર્દિક પંડ્યા એ જીતનો શ્રેય મહંમદ સિરાજને આપવામાં આવ્યો હતો.
આ મેચમાં ચાર ઓવર ફેંકીને 37 રન આપીને મહત્વની ચાર વિકેટ ઝડપી પાડી હતી છતાં પણ હાર્દિક પંડ્યા એ મહંમદ સિરાજને જીતનો અસલી હીરો કહ્યું હતું. મેચ પૂર્ણ થતા હાર્દિક પંડ્યા એ નિવેદન આપતા જણાવ્યું હતું કે મહંમદ સિરાજને કારણે ટીમ ઇન્ડિયા એ મોટી સફળતા મેળવી હતી. તે આ મેચ દરમિયાન ખૂબ જ સારૂ પર્ફોમન્સ કરતો જોવા મળ્યો હતો.
મહંમદ સીરાજે 4 ઓવરમાં ફક્ત 17 રન આપીને મોટી 4 વિકેટ ઝડપી પાડી હતી. આ ચાર વિકેટમાં ન્યૂઝીલેન્ડના ચાર સૌથી મોટા સ્ટાર બેટ્સમેનો આઉટ થયા હતા જેને કારણે ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. મેચ પૂર્ણ થતા હાર્દિક પંડ્યા એ તેના ખૂબ જ વખાણ કર્યા હતા. તો આ સાથે જ બીજી ટી 20 મેચમાં પણ તેણે ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું હતું.