બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની મોટી જાહેરાત, રોહિત-જાડેજા-શમી બહાર, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં તાજેતરમાં ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે બે મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. વન ડે સિરીઝની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાને પ્રથમ બે મેચોમાં કારમી હાર મળી હતી. ત્યારબાદ ત્રીજી વન-ડે મેચમાં 227 રને મોટી જીત મેળવી છે. ત્યારબાદ હવે 14 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહેલ ટેસ્ટ શ્રેણી માટે BCCI દ્વારા તાજેતરમાં ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરી છે.

BCCI દ્વારા જાહેર કરેલ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલ મોટી ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને BCCI ઇન્ડિયાને મજબૂત કરવાના મોટા પ્રયાસો કરી રહી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. ચાલો જાણીએ કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું.

પ્રથમ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિશે વાત કરીએ તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. પરંતુ વન-ડે સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તેને હાલ ટેસ્ટ સીરીઝની બહાર કરવામાં આવ્યો છે. તે હાલ આરામ ઉપર જોવા મળ્યો છે. હવે ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન કે એલ રાહુલને સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયામાં આ એક બદલાવની સાથે બીજા ઘણા બદલાવો પણ કરવામાં આવ્યા છે.

બે મેચોની ટેસ્ટ શ્રેણી માટે પ્રથમ બેટ્સમેનો વિશે વાત કરીએ તો તેમાં કે એલ રાહુલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અભિમન્યુ ઈશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સાથે વિકેટ કીપર બેટ્સમેન તરીકે રીષભ પંત અને કે એસ ભારતને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ પર બેટિંગ તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ અહેમદ અને અક્ષર પટેલને મોટી તક આપવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઇન વિશે વાત કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર તરીકે શાર્દૂલ ઠાકોર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. 16 સભ્યોની ભારતીય ટીમ : કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *