બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા 4 દિવસથી થયા અંડરગ્રાઉન્ડ જાણો શું છે સમગ્ર મામલો…
છેલ્લા કેટલાક સમયથી બાગેશ્વર ધામના પીઠાધી પતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સોશિયલ મીડિયા અને તમામ માધ્યમો પર ચર્ચાનો વિષય બનેલા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી બોલીવુડની મોટી ફિલ્મ પઠાણ વિશે પણ તેમણે ઘણી વાતો કરી હતી. આ સ્વામી તેના દરબારમાં આવતા લાખો લોકોના પ્રશ્નો જાણીને તેનું સોલ્યુશન આપતા હોય છે જેને કારણે હાલ તે સમગ્ર ભારત વર્ષમાં જાણીતા બન્યા છે.
બાગેશ્વર ધામના આ સ્વામી શ્રી ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી છેલ્લા ચાર દિવસથી અંદર ગ્રાઉન્ડ થયા છે. જેને લઈને હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી રાતોરાત પોતાના આશ્રમથી ગાયબ થઈ ગયા છે. તેના આશ્રમને પણ તેમના વિશેની કોઈ માહિતી આપવામાં આવી નથી. 24 કલાકથી વધુ સમય સુધી તેઓ અજ્ઞાતવાસ્તમાં રહ્યા છે.
જેને કારણે હાલ બાગેશ્વર ધામના આ સ્વામીને લઈને મોટા સવાલો ઉઠવા લાગ્યા છે આખરે બાબા શું નવી તંત્ર વિધિ શીખી રહ્યા છે ? પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામી છેલ્લે 28 જાન્યુઆરી રાતે 11:00 કલાકે બાગેશ્વર ધામ થી પોતાના આશ્રમ ખજુરાહો પહોંચ્યા હતા. ત્યારબાદ બપોરે 12:00 વાગે છતરપુર જિલ્લા થી 35 કિલોમીટર દૂર આવેલ ગડા ગામમાં આવી પહોંચ્યા હતા.
પરંતુ ત્યારબાદ 25 જાન્યુઆરીની મધ્યરાત્રીએથી છત્તરપુર જિલ્લાના ગારહે ખાતેના આશ્રમમાંથી તેઓ રહસ્યમય રીતે ગાયબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગાયબ થયા પહેલા તેણે મીડિયા સામે કહ્યું હતું કે તે હવે પ્રયાગરાજ જશે અને તમામ ઋષિમુનિઓને આમંત્રિત કરવાના છે આ આમંત્રણ 13 ફેબ્રુઆરી થી બાગેશ્વર ધામ ગળા ખાતે શરૂ થનારી રામકથા અને યજ્ઞમાં આવવાનું રહેશે.
બાગેશ્વર ધામમાં આ રામ કથા દરમિયાન 121 સુકન્યાઓના લગ્ન પણ યોજવામાં આવવાના છે. ત્યારબાદ 19 ફેબ્રુઆરીના રોજ આ મહા યજ્ઞ સંપન્ન થવાનો છે. મીડિયા મુજબ જાણવા મળ્યું છે કે બાબા બે થી ત્રણ દિવસ અજ્ઞાત પ્રવાસ ઉપર જવાના છે બાબાની કૃપાથી આયોજિત આ મહા યજ્ઞમાં તમામ પવિત્ર સ્થાન અને પવિત્ર આત્માઓ અને મહાપુરુષોને આમંત્રિત કરવા માટે નીકળ્યા હોવાના સમાચાર પણ મળ્યા છે.